સવાલ.હું ૨૬ વર્ષની યુવતી છું લગ્નને ૬ મહિના થયા છે. પતિ ખૂબ પ્રેમ કરે છે અને જરૂર કરતાં વધારે વિશ્વાસ પણ જ્યારે હું વિશ્વાસ કરવા યોગ્ય નથી લગ્ન પહેલાં હું એક યુવકને પ્રેમ કરતી હતી અમારી વચ્ચે અનૈતિક સંબંધ પણ હતા આંતરજ્ઞાાતીય હોવાથી લગ્ન ન થઈ શક્યાં હું આજે પણ તેના સંપર્કમાં છું મારા પતિને આ વાતની કોઈ જ જાણ નથી ક્યારેક ક્યારેક મને અપરાધની લાગણી થાય છે કે હું ખોટું કરી રહી છું પણ પછી ભૂલી જાઉં છું તેનો સાથસંગાથ મને ખૂબ ગમે છે શું તેનાથી હું કોઈ મુશ્કેલીમાં આવી શકું છું?
જવાબ.તમે અબુદ્ધ બાળક નથી પરિપક્વ મહિલા છો જાણીજોઈને તમે આવું આચરણ કરી રહ્યા છો જેનાથી તમારું દાંપત્યજીવન બરબાદ થઈ શકે છે તમે તમારા પ્રેમીનો સાથ મેળવીને વધારે કમ્ફર્ટેબલ અનુભવી શકો છો તો તમારે તેની સાથે જ લગ્ન કરી લેવા જોઈતાં હતાં પણ હવે જ્યારે તમારા લગ્ન થઈ ગયાં છે.
ત્યારે તમારે તમારા પતિ સાથે વિશ્વાસઘાત ન કરવો જોઈએ કોઈને તમારા દુરાચારનો અણસાર આવે તે પહેલાં તમારે સાવચેત થઈ જવું જોઈએ નહીં તો તમારી બરબાદી માટે તમે પોતે જ જવાબદાર હશો.
સવાલ.હું ૨૩ વર્ષની યુવતી છું. એક યુવક સાથે મારે છેલ્લાં ૩ વર્ષથી અફેર ચાલી રહ્યો હતો અમે લગ્ન માટે તો કોઈ કમિટમેન્ટ નહોતું કર્યું પણ મને ૬ મહિના પહેલાં ઝાટકો લાગ્યો, જ્યારે મારી જ એક સાહેલીએ વિશ્વાસઘાત કર્યો.
બંનેનો પ્રેમસંબંધ ખૂબ જોરશોરથી ચાલી રહ્યો હતો. મને દુ:ખ તો થયું પણ મેં માંડ મારી જાતને સંભાળી લીધી.હવે જ્યારે મારી સગાઈ થઈ ગઈ છે, તેને ખૂબ પસ્તાવો થાય છે અને તે મને એક તક આપવાનું કહી રહ્યો છે.
લગ્નની દરખાસ્ત પણ મૂકી રહ્યો છે. હું મૂંઝવણમાં છું. એક બાજુ મારાં માતાપિતાની પ્રતિષ્ઠા છે તો બીજી બાજુ મારો પહેલો પ્રેમ, જેને હું દફનાવી ચૂકી હતી. મારે શું કરવું જોઈએ?
જવાબ.તમારો પ્રેમી એક વાર તમને છેતરી ચૂક્યો છે. હવે તેનું તમારી સાહેલીથી મન ભરાઈ ગયું છે તો તે તમારી પાસે પાછો આવવા માગે છે. તમે તેને સ્પષ્ટ કહી દો કે તમે તમારા જીવનનો નિર્ણય લઈ લીધો છે તેથી હવે તે તમારા રસ્તામાં અવરોધક ન બને. તમારા માટે તે જ યોગ્ય રહેશે કે તમે તેની સાથે કોઈપણ પ્રકારનો સંપર્ક ન રાખે.
સવાલ.હું ૨૪ વર્ષની યુવતી છું. લગ્નને ૨ વર્ષ થઈ ગયાં છે. હજી સુધી મને સંતાનસુખ મળ્યું નથી. હકીકતમાં મારા પતિ સેક્સ ઉપરાંત હસ્તમૈથુન પણ કરે છે, કદાચ એટલે તેમનામાં કમજોરી આવી ગઈ છે અને તેઓ પિતા બનવા લાયક નથી રહ્યા. મારી એક સાહેલીએ જણાવ્યું કે વધારે સેક્સ કરવા અથવા હસ્તમૈથુન કરવાથી પુરુષોમાં પ્રજનનક્ષમતા સમાપ્ત થઈ જાય છે. શું હું ક્યારેય મા નહીં બની શકું?
જવાબ.આ કોલમમાં ઘણીવાર એ સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે હસ્તમૈથુનથી શરીર પર કોઈ ખરાબ અસર નથી થતી એટલે ન તો હસ્તમૈથુનથી કોઈ કમજોર બને છે, ન સંતાનપ્રાપ્તિ માટે અક્ષમ. તેથી કોઈની સાંભળેલી સંભળાવેલી વાતો પર વિશ્વાસ ન કરો. જો કોઈ શંકા હોય તો તેના સમાધાન માટે તોઈ આરોગ્ય અને પરિવાર કલ્યાણ કેન્દ્રમાં જઈને સ્ત્રીરોગ વિશેષજ્ઞાની સલાહ લો.
સવાલ.હું ૪૫ વર્ષની પરિણીત અને ૨ યુવાન બાળકોની માતા છું અમારું સુખી દાંપત્યજીવન ચાલી રહ્યું હતું. પતિ બાળકો અને મારી પર જીવ આપતાં હતાં, પણ આજકાલ તેઓ પોતાની કોઈ સહકર્મચાકીને વધારે સમય આપી રહ્યાં છે દરરોજ મોડાં ઘરે આવે છે.
ક્યારેક તેના માટે ફ્લેટ શોધવા માટે તો ક્યારેક અન્ય જરૂરિયાતોને લઈને ચિંતિત રહે છે, જ્યારે શરૂઆતમાં જ ઘરપરિવારની તમામ જવાબદારીથી મેં તેમને મુક્ત રાખ્યા છે.પહેલાં મને ક્યારેય રંજ નથી થયો કે તેઓ ઘર તરફ બેફિકર રહે છે, પણ હવે ખરાબ લાગે છે.
જ્યારે તેઓ પોતાની સહકર્મચારી માટે એટલી મહેનત કરે છે. ઠપકો આપું તો કહે છે કે તેમાં ખોટું શું છે. તે આ શહેરમાં નવી છે. માનવતાના સંબંધે આપણી ફરજ છે કે તેને મદદ કરીએ. મને ડર લાગે છે કે મદદ કરતાં કરતાં તેઓ તેની મોહમાયામાં ન ફસાઈ જાય. તે યુવાન છે અને કુંવારી છે શું કરું?
જવાબ.તમે ઈર્ષાજન્ય લાગણીથી પીડાઈ રહ્યા છો. એટલે જ પતિ દ્વારા પોતાની સહકર્મચારીને આપેલા સહકારને ખોટા અર્થમાં લઈ રહ્યા છો. પતિની તે સહકર્મચારીને તમે પણ મુક્તમને હળોમળો તો સારું રહેશે, તેની સાથે સદ્ભાવથી વર્તો. તેનાથી તમને કોઈ પ્રકારનું સંભવિત જોખમ નહીં રહે.
સાવધાની સારી વાત છે પણ પોતાના સંબંધોને લઈને શંકાશીલ બનવું સારું નથી. તમે તમારા પતિની પરિણીતા અને તેનાં બાળકોની માતા છો અને પછી એક પરિણીત અને બાળબચ્ચાંવાળા પુરુષને યુવતીઓ વધારે સમય સુધી ભાવ નથી આપતી.
સવાલ.હું ૩૨ વર્ષનો નોકરી કરતો પરિણીત યુવક છું હું એ જાણવા માગું છું કે સુહાગરાતે જો કોઈ યુવતીને રક્તસ્ત્રાવ ન થાય અસહ્ય પીડાથી તે ચીસો ન પાડે તો શું એને ચારિત્ર્યહીન સમજવું?જવાબ.પ્રથમ સમાગમ વખતે સ્ત્રીઓને થોડું ઘણું કષ્ટ તો થાય છે પરંતુ તે એટલું અસહ્ય નથી હોતું કે સ્ત્રી તને સહી ન શકે અને ચીસો પાડે એ દરમિયાન રક્તસ્ત્રાવ થાય એય કંઈ અક્ષત કૌમાર્યની નિશાની નથી.
સવાલ.હું 20 વર્ષનો યુવક છું. મને મારા પડોશીની છોકરી સાથે પ્રેમ છે. પરંતુ તેના પિતાએ અમારી જમીન બળજબરીથી જપ્ત કરી લીધી હોવાથી અમારા સંબંધો સારા નથી. ઘણીવાર મને બદલો લેવા માટે એ છોકરી સાથે શારીરિક સંબંધ બાંધી તેના કુટુંબને બદનામ કરવાનો વિચાર આવે છે. આ યુવતી હું કહું તેમ કરવા તૈયાર છે. મારે શું કરવું તેની સમજ પડતી નથી. યોગ્ય સલાહ આપવા વિનંતી.
જવાબ.તમે ફિલ્મો ઘણી જોતા લાગો છો. તમારા મગજ પર ફિલ્મોએ ઘણી અસર કરી હોય એવું લાગે છે. ફિલ્મો છોડી વાસ્તવિક ભૂમિ પર પાછા ફરો. બદલાની ભાવનાને કારણે એક નિર્દોષ યુવતીનું જીવન બરબાદ ન કરો. પિતાના કાર્યની સજા માસુમ પુત્રીને આપવાનો વિચાર છોડી દો.
તમારામાં હિંમત હોય તો એ યુવતી સાથે લગ્ન કરી પરિવારની દુશ્મની મૈત્રીમાં ફેરવો અને તમારી જમીન પાછી મેળવો અન્યથા એ યુવતીને ભૂલી જાવ. તેને તેની જિંદગી જીવવા દો અને તમે તમારી જિંદગી જીવો.