જે વ્યક્તિઓને ભગવાનની ઉપર સચોટ અને અડગ શ્રદ્ધા હોય છે તો ભગવાન તેવા લોકોના પડખે હંમેશા ઉભા જ રહે છે. તેવામાં ભગવાન આપણને કેટલીય વખતે સાક્ષાત પરચા પૂરતા હોય છે, ભગવાન તેમના સાચા ભક્તોનું રક્ષણ હંમેશા કરતા જ રહે છે. તેવો જ એક કિસ્સો અમેરિકામાં બન્યો હતો.
જેમાં એક મહિલા મૂળ બિહારના હતા તેમનું નામ પૂજાબેન હતું તેઓ પહેલેથી જ શંકર ભગવાન અને હનુમાન દાદાનાને બહુ જ માનતા હતા. તેઓ પહેલાથી જ હનુમાન ચાલીસાનો પાઠ પણ રોજે રોજ કરતા હતા.પૂજાના લગ્ન ૨૦૧૪માં થયા હતા ત્યારબાદ તે તેમના પતિની સાથે અમેરિકા રહેવા માટે જતી રહી હતી.
થોડા સમય પછી પૂજાએ એક બાળકને જન્મ પણ આપ્યો હતો. તેની સાથે રહીને તે હંમેશા પૂજા પાઠ કરતી હતી.તેવામાં પૂજાએ ૨૧ દિવસ સુધી હનુમાન ચાલીસ વાંચવાનો સંકલ્પ લીધો હતો, જયારે આ પૂજા હનુમાન ચાલીસનું પઠન કરતી હતી ત્યારે જ તેનું બાળક ઘરનો દરવાજો ખોલીને બહાર જતું રહ્યું હતું.પૂજા તે હનુમાન ચાલીસનૂ પઠન કરી રહી તો તેનું બાળક ત્યાં અંદર હતું જ નઈ અને ઘરનો દરવાજો પણ ખુલ્લો હતો જેથી પૂજા તરત જ દોડતી દોડતી ઘરની બહાર બાજુ વળી ગલીમાં જઈને જોયું તો તેનું બાળક એક બાજુ રોડ ક્રોસ કરીને એક ભાઈના ખોરામાં રમતું હતું
અને ત્યાં જઈને તેના બાળકને ગળે લગાવી દીધું. પેલા ભાઈએ પૂજાને તેનું બાળક હાથમાં આપ્યું અને પૂજાએ પાછળ ફરીને જોયું તો પેલા ભાઈ ત્યાં હતા જ નઈ. ત્યાં હાઇવે ઉપર એટલા બધા સાધનો જતા હતા અને આખો રોડ ક્રોસ કરીને તેનું બાળક પેલી બાજુએથી રોડની આ બાજુએ આવી ગયું હતું. તેવામાં પૂજાને વિચાર આવી ગયો કે આ મારા બાળકની રક્ષા કરવા વાળા બીજું કોઈ નઈ પણ દાદા સાક્ષાત આવ્યા હતા.એવાજ એક કિસ્સા વિશે આપણે વાત કરીએ. જેટલો પ્રેમ ભગવાન હનુમાન દાદા રામ ભગવાનને કરે છે.
તેવી જ રીતે તેમના ભક્તોને પણ કરે છે.હનુમાનદાદાના તેમના ભક્તોનું ખાસ ધ્યાન રાખતા જ હોય છે. તેવો જ એક કિસ્સો રાજસ્થનના કિશનગઢના રહેવાસી શેખાવતસિંહે જેઓ હનુમાન દાદાના પરમ ભક્ત છે, આ વાત છે વર્ષ ૨૦૧૬ ની તેઓ તેમના મિત્ર સાથે રેલવે સ્ટેશન જઈ રહ્યા હતા. તેવામાં અચાનક રિક્ષાને અકસ્માત નડ્યો અને તેઓને ગંભીર ઈજાઓ પહોંચી હતી. તેઓ રેલવેહી શ્રી બાલાજી મંદિર સાલાસર ધામ દર્શન કરવા માટે તે જ દિવસે નિકરી ગયા. તેમના મિત્રએ પણ ના પાડી પણ તેઓ માન્ય નઈ અને દર્શન માટે નિકરી ગયા હતા.
તેઓ રસ્તામાં પહોંચ્યા અને તેઓને જે ગંભીર વાગ્યું હતું ત્યાં દર્દ થવા લાગ્યો અને તેથી જ તેઓ ભગવાનના નામનું સ્મરણ કરવા લાગ્યા હતા. તેઓ સફળ પૂરો કરીને બીજા દિવસે હનુમાન દાદાના દર્શને પહોંચ્યા,દર્શન કરીને ભજન કીર્તનમાં ક્યારે રાત થઇ ગઈ તે શેખાવતભાઈને ખબર જ ના રહી અને તેમને વાગ્યા હતું ત્યાં દુખાવો વધી ગયો અને ત્યાં જ ધર્મ શાળામાં રહેવાનું નક્કી કર્યું.
તેઓ જયારે રાત્રે સુઈ ગયા હતા તેવામાં અચાનક આંખ ખુલી ગઈ અને તેઓએ ત્યાં કોઈ સાધુ બાબા બેસ્યા હતા.તેઓએ પૂછવાનું કર્યું પણ તે સાધુ બાબા ત્યાંથી જવા લાગ્યા અને એટલું જ કહેતા ગયા કે તમને જે વાગ્યું હતું તે બિલકુલ ઠીક થઈ ગયું છે અને તું સવારે તારા ઘરે પણ જઈ શકીશ.આ બધી વાતનો મને વિશ્વાસ ના આવ્યો અને તેથી મેં મને વાઘેલા ઘા ઉપર જોયું તો, મારી આંખોમાંથી આસું આવી ગયા. મને વાગેલો ઘા હતો જ નઈ. ઘરે પહોંચીને મેં ગરીબ લોકોને ભોજન કરાવ્યું અને હનુમાન દાદાના બજરંગ બાનના પાઠ કરાવ્યા હતા.