ભગુડાવાળી માં મોગલ ના પરચા છે અપરંપાર. આજે પણ દિન દુખિયાના દુઃખ દૂર કરે છે.માં મોગલ ના દરબાર માં જો કોઈ સાચા દિલથી પ્રાર્થના કરે છે. તો તેની મનોકામના પૂર્ણ થાય છે.મા મોગલના પરચાઓ અને ચમત્કાર વિષે ઘણું સાંભળ્યું હશે. કહેવાય છે ને કે, આસ્થા અને વિશ્વાસ હોય તો કંઈપણ અશક્ય કાર્ય શક્ય બની જાય છે.એમાં પણ જ્યારે કોઈ પરમ સંતનો આપણા માથે હાથ હોય તો જીવન ધન્ય થઈ જાય છે. આજે આપણી કપરા ખાતે બિરાજમાન મોગલ માતા વિશે વાત કરવા જઈ રહ્યા છે મણીધર બાપુ લોકોને સાચો માર્ગ દર્શાવતા હોય છે અને દેશ-વિદેશથી લોકો દર્શન કરવા માટે પણ આવતા હોય છે.
આ મંદિરમાં કોઇપણ પૈસાનું દાન લેવામાં આવતું નથી આ ફક્ત અન્નદાન જ સ્વીકારવામાં આવે છે અને ભક્તોને વિનામૂલ્યે અહીં સારું ભોજન આપવામાં આવે છે.થોડા સમય પહેલા માતા ના આશીર્વાદથી મંદિરમાં 108 યજ્ઞ કુંડ નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ખૂબ જ મોટી માની પૂજા કરવામાં આવી હતી અને મને તારો બાપુ ને સંબોધન આપીને તેમને ખુશ કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યા હતા.
મા મોગલ અનેક લોકોના દુઃખો દૂર કરી તેમને જીવનમાં સુખની પ્રાપ્તિ આપી છે અને આજે દરેક લોકો ખૂબ જ સુખેથી અને શાંતિથી જીવન જીવી રહ્યા છે.પરંતુ મણીધર બાપુએ ખાસ વાત જણાવતા કહ્યું હતું કે કોઈપણ વ્યક્તિએ ઉપવાસ કરવાની કે ભૂખ્યા રહેવાની જરૂર નથી પરંતુ માતાને ખુશ કરવા માટે તમારે ગરીબને કપડાં કે ભોજન આપી પ્રેમથી તને જ મળવાનું આપજો મંગળવારના દિવસે ગરીબ બાળકોને પ્રેમથી જમાડી ને તેની ભૂખ દૂર કરજો માતાના આશીર્વાદ તમારા જોડે જ રહેશે આ કરવાથી માતા તમારા ઉપર સદાય ખુશ રહેશે.
મણીધર બાપુએ જણાવ્યું છે કે, માં મોગલ તો હંમેશાં જ લોકો પર દયાવાન રહે છે તેઓને પ્રસન્ન કરવા માટે કંઈ એવું ખાસ કરવાની જરૂર નથી. જો તમારે ખરેખર મા મોગલ ને પ્રસન્ન કરવા હોય તો તમારા કુળદેવી આગળ દીવો કરો અને તેમને યાદ કરો એમાં જ મા મોગલ ખુશ છે.તમને જણાવી દઈએ કે, મા મોગલને ગુગળનો ધૂપ ખૂબ જ પસંદ છે. તો બને ત્યાં સુધી ગાયનું ઘી નાખીને ગુગળ નો ધૂપ કરો.મણીધર બાપુએ વધુમાં જણાવ્યું હતું કે, માં મોગલ તો અઢારે વરણની મા છે.
તેઓ બધા જ લોકોના દુઃખ દૂર કરે છે. તમે તેમના પ્રત્યે જેટલી આસ્થા દાખવો છો એટલી જ મોગલ મા તમારા સાથે છે. માં મોગલ ના દરબારમાં તમામ લોકો આવે છે. કોઈ પણ ભેદભાવ વગર તેઓ તમામના દુઃખો હરી લે છે. આમાં તમે મા મોગલ નો દીવો ના કરો તો પણ ચાલશે. પરંતુ મા મોગલ પ્રત્યે વિશ્વાસ રાખવો.તમારા કુળદેવી આગળ દીવો કરવાથી કુળદેવી તો ખુશ થશે જ અને સાથે સાથે મા મોગલ પણ પ્રસન્ન થશે.
આ ઉપરાંત ધૂપ કરવાનો અન્ય એક ફાયદો એ છે કે તેનાથી ઘરનું વાતાવરણ ખૂબ જ સારું અને શાંતિમય રહેશે. પરિવારમાં શાંતિ રહેવાથી આપોઆપ માનસિક શાંતિ પણ મળે છે. માટે અગરબત્તી કરવા કરતાં ઘરમાં ધૂપ કરવો જોઈએ. માં મોગલ તમામ ભક્તોની સાથે જ છે અને તેઓમાં આસ્થા દાખવનારા સૌ કોઈની મનોકામનાઓ તે પૂર્ણ કરે છે. કહેવાય છે કે મા મોગલ મોગલ ધામમાં સાક્ષાત વિરાજમાન છે.