અત્યાર સુધી માં મોગલ ના ધામ માં કોઈપણ વ્યક્તિ દુઃખી થઈને ઘરે ગયું નથી. માં મોગલ નું નામ લેવાથી જ દરેક લોકોના દુઃખો દૂર થઈ જતા હોય છે. માં મોગલ ના દર્શન કરવા માટે લોકો દૂર દૂરથી આવતા હોય છે.માં મોગલના પરચા છે અપરંપાર જે વ્યકતિની પણ માં મોગલ સાથે આસ્થા બંધાઈ જાય છે.
તે વ્યકતિને જીવનમાં કયારેય દુઃખ નથી આવતું. માં મોગલ તેમના દરવાજે આવતા દરેક ભકતોની મનોકામના પૂર્ણ કરે છે.એટલા માટે જ માં મોગલને આઢારે વર્ણની માતા કહેવામાં આવે છે.માં મોગલના મંદિરમાં ધર્મ જાતિને લઈને કયારેય કોઈ ભેદભાવ કરવામાં નથી આવતો.
થોડા દિવસો પહેલા એક દંપતી મોગલ ધામમાં માં મોગલ ના દર્શન કરવા અને મણીધર બાપુના આશીર્વાદ લેવા માટે આવ્યા હતા. મણીધર બાપુને આ મહિલાએ જણાવ્યું કે તેઓ ભયંકર આર્થિક સંકટમાં આવી ગયા છે સ્થિતિ એવી છે કે તેમની પાસે રહેવા માટે ઘર પણ નથી.
તેઓ માં મોગલની ઉપર ખુબજ શ્રદ્ધા રાખે છે. એટલા માટે આ દંપતી તેમના આશીર્વાદ લેવા આવ્યા છે.આર્થિક સંકળામણના કારણે આ દંપતિ ખૂબ જ મુશ્કેલીમાં હતું. તેમને માતા મોગલ માં શ્રદ્ધા અને વિશ્વાસ રાખવાનું કહેવામાં આવ્યું અને તેમની આર્થિક સંકટો દૂર થશે તેવા પણ આશીર્વાદ મળ્યા.
થોડા જ દિવસોમાં આ દંપત્તિની આર્થિક સંકટો દૂર થવા લાગ્યા. તેમના જીવનમાં ફરીથી સુખના દિવસો આવ્યા. જ્યારે પોતાના સુખના દિવસો શરૂ થયા તો આ દંપતી બીજીવાર મોગલ ધામમાં દર્શન કરવા માટે આવ્યા.
આ દંપતી 11 હજાર રૂપિયા લઇને બીજી વાર માતાના દર્શન કરવા આવ્યા હતા. તેમને આ રૂપિયા માતાજીના ચરણોમાં ચઢાવવા માટે મણીધર બાપુને આપ્યા. પરંતુ મણીધર બાપુએ એ પૈસા પાછા આપ્યા અને કહ્યું કે આ પૈસા તેઓ સાચવી રાખે માતા મોગલ તેમને ક્યારેય દુઃખી થવા નહીં દે.
આવોજ એક પરચો જેમાં થોડા સમય પહેલાં મોગલ ના ધામમાં એક સાબરકાંઠાની મહિલા આવી હતી. આ મહિલા ને માતા બનવાનું સુખ આજ સુધી પ્રાપ્ત થયું ન હતું અને તેને અનેક વાર સારા ડોક્ટરોને બતાવ્યું હતું અને પાણીની જેમ પૈસા વાપર્યા હતા.
પરંતુ તેને યોગ્ય નિદાન ન મળતા તે ખૂબ જ નિરાશ થઈ ગઈ હતી પરંતુ તેના મીત્ર દ્વારા તેને માં મોગલ ની માનતા રાખવાનું જણાવ્યું હતું.ત્યારે આ મહિલાએ મા મોગલ ની માનતા રાખી હતી.
થોડા સમય બાદ તેના ઘરે એક દીકરાનો જન્મ થયો હતો આ વાતે ખુશ થઈને તેને યથાશક્તિ પ્રમાણે માં મોગલ ના મંદિરે આવીને પૈસા ચડાવ્યા હતા અને મણીધર બાપુ આ પૈસામાં 20 રૂપિયા ઉમેરીને પૈસા મહિલા ને પાછા આપ્યા હતા અને જણાવ્યું હતું કે માં મોગલ ઉપર સાચી શ્રદ્ધા અને નિષ્ઠા રાખજો માં મોગલ તમને કોઈ દિવસ દુઃખી નહીં થવા.