Breaking News

માં મોગલને માનતા હોય તો આ રીતે ઘરે પણ કરી શકાય પૂજા,જાણો માં મોગલની પૂજા અર્ચના કેવી રીતે કરવી..

આજના સમયે મોટા ભાગના લોકોનાં આસ્થાનું પ્રતિક એટલે મોગલ માં. મોગલ માતાનાં ધામો ગુજરાતમાં ઘણી જગ્યાએ આવેલા છે. જેમાં ભગુડા, ઓખાધરા, કબરાઉં વગેરે માના મુખ્ય ધામો છે.જ્યાં દિવસ દરમિયાન હજારો ભાવિક ભક્તો માતાના દર્શને આવતા જ હોય છે. માતાજી મુખ્ય તો ચારણ કુળના દેવી છે.

પરંતુ મોગલ માતાને અઢારે વર્ણના લોકો પૂજે છે.બધા જ ધર્મ કે જ્ઞાતિના લોકો મોગલ માં પર ખુબ જ શ્રદ્ધા રાખતા હોય છે.માતાજીના પરચા આજના સમયે હળાહળ કળયુગમાં પણ અપરમપાર છે.મોગલ માતાના નામ પર ખોટા સોગંધ પણ ન ખાઈ શકાય, તેવી લોકોમાં માતાજીની શ્રધ્ધા અને કૃપા છે.

માં મોગલ ના મંદિરમાં કોઈ દિવસ ઊંચનીચના ભેદભાવ કરવામાં આવતો નથી.દરેક લોકોને એક સરખા માની ને મોગલ ના મંદિર માં જવા દેવામાં આવે છે.માં મોગલ એ પોતાના પરચા અનેકવાર શ્રદ્ધાળુ ઓને બતાવ્યા છે. અને મા મોગલ ના દર્શન કરવા માટે સમગ્ર ગુજરાત જ નહીં પરંતુ સમગ્ર ભારતમાંથી લોકો આવતા હોય છે.

ત્યારે મનમાં સવાલ એ થાય કે, માં મોગલ ને ખુશ કરવા શું કરવું જોઈએ? શું તમે જાણો છો કે મોગલ મા ની સાચી પૂજા કઈ રીતે થાય છે? કઈ રીતે તેઓને પ્રભાવિત કરી શકાય છે?

તો આવો, તમને જણાવી દઈએ કે શું કરવાથી મા મોગલ અતિ પ્રસન્ન થાય છે. મણીધર બાપુએ જણાવ્યું છે કે, માં મોગલ તો હંમેશાં જ લોકો પર દયાવાન રહે છે તેઓને પ્રસન્ન કરવા માટે કંઈ એવું ખાસ કરવાની જરૂર નથી. જો તમારે ખરેખર મા મોગલ ને પ્રસન્ન કરવા હોય તો તમારા કુળદેવી આગળ દીવો કરો અને તેમને યાદ કરો એમાં જ મા મોગલ ખુશ છે.

તમને જણાવી દઈએ કે, મા મોગલને ગુગળનો ધૂપ ખૂબ જ પસંદ છે. તો બને ત્યાં સુધી ગાયનું ઘી નાખીને ગુગળ નો ધૂપ કરો.મણીધર બાપુએ વધુમાં જણાવ્યું હતું કે, માં મોગલ તો અઢારે વરણની મા છે. તેઓ બધા જ લોકોના દુઃખ દૂર કરે છે. તમે તેમના પ્રત્યે જેટલી આસ્થા દાખવો છો એટલી જ મોગલ મા તમારા સાથે છે. માં મોગલ ના દરબારમાં તમામ લોકો આવે છે.

કોઈ પણ ભેદભાવ વગર તેઓ તમામના દુઃખો હરી લે છે. આમાં તમે મા મોગલ નો દીવો ના કરો તો પણ ચાલશે. પરંતુ મ મોગલ પ્રત્યે વિશ્વાસ રાખવો. તમારા કુળદેવી આગળ દીવો કરવાથી કુળદેવી તો ખુશ થશે જ અને સાથે સાથે મા મોગલ પણ પ્રસન્ન થશે.આ ઉપરાંત ધૂપ કરવાનો અન્ય એક ફાયદો એ છે કે તેનાથી ઘરનું વાતાવરણ ખૂબ જ સારું અને શાંતિમય રહેશે.

પરિવારમાં શાંતિ રહેવાથી આપોઆપ માનસિક શાંતિ પણ મળે છે. માટે અગરબત્તી કરવા કરતાં ઘરમાં ધૂપ કરવો જોઈએ. માં મોગલ તમામ ભક્તોની સાથે જ છે અને તેઓમાં આસ્થા દાખવનારા સૌ કોઈની મનોકામનાઓ તે પૂર્ણ કરે છે. કહેવાય છે કે મા મોગલ મોગલ ધામમાં સાક્ષાત વિરાજમાન છે.

About admin

Check Also

મારા પતિ રોજ સંભો@ગ કરે છે જેથી મને ખુબજ પીડા થાય છે, કોઈ રસ્તો બતાવો…..

પ્રશ્ન : હું ૨૦ વર્ષની યુવતી છું. થોડાં સમયથી ઘરમાં મારી સગાઈને લઈને વાતો ચાલી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Comments

No comments to show.