સવાલ:હું ગત આઠ વર્ષોથી એક એવી મહિલા સાથે લગ્ન સંબંધ નીભાવી રહ્યો છું. જેની સેક્સ પ્રત્યે ભૂખ મારાથી કઇ ગણી વધારે છે. ગત વર્ષે અમે ઘણી સાવધાનીથી અમે વાત પર સહમતિ દર્શાવી કે અમે પ્રતિબંધહીન લગ્ન વ્યવસ્થામાં રહીશું અને અમે બંને જ પોત પોતાનાં મિત્રોની સેક્સુઅલ રસ જણાવતા મિત્રોને ટેક્સ મેસેજ મોકલવાનાં શરૂ કરી દીધા. મારી પત્નીને આખરે એક એવો વ્યક્તિ મળી ગયો જેનાં પ્રત્યે તે ખુબ આકર્ષિત હતી પણ તે તેને મળવા અને યૌન ગતિવિધિ શરૂ કરવામાં અચકાઇ રહી છે.
કારણ કે તેને લાગે છે કે તેને લાગે છે કે, હું વિચારીશ કે તેણે મને છોડી દીધો છે. જોકે, મને તે વાતની ગ્લાનિ છે કે, અમારા લગ્ન જીવનથી તે સંતુષ્ટ નથી અને મને લાગે છે કે, તેણે તેની તલાશ જારી રાખવી જોઇએ. મારે શું કરવું જોઇએ?
જવાબ: સૌથી પહેલી વાત તો હું તે જાણીને ખુશ છુ કે, આપ બંને એક સુખદ યૌન જીવન જીવવાં ઇચ્છો છો. જોકે, આ સમસ્યાની ઘણી પરત છે. અધિકાંશ લોકોની ઇચ્છા બે શ્રેણીની હોય છે. સ્વત: સ્ફૂર્ત ઇચ્છા (જે હેઠળ દિવસમાં ઘણી વખત આપનામાં યૌન ઇચ્છાઓ જાગે છે.
અને મોટાભાગે તેમાં વધુ શારીરિક ઉત્તેજના નથી હોતી) અને જવાબી યૌન ઇચ્છાઓ જેમાં આપને ઉત્તેજિત થવા માટે શારીરિક stimulation જોઇએ. નહીં તો આપ દિવસમાં ક્યારેય સેક્સ અંગે વિચારતા નહીં કે ઉત્તેજિત થતા નહીં) અહીં એવું લાગે છે કે, આપની પત્ની પ્રથમ શ્રેણીમાં (સ્વત: સ્ફૂર્ત સેક્સની ઇચ્છા) અને આપ બીજી શ્રેણી (જવાબી ઇચ્છા)માં આવે છે.
આ માટે આપને પહેલી સલાહ છે કે, હું ઇચ્છુ છું કે, આપ આ બંને પ્રકારની સેક્સ ઇચ્છાઓ અને તેમની સાથે ઉત્તમ તાલમેળ કેવી રીતે સ્થાપિત કરશો. આ વિશે હું વધુ જાણવાનો પ્રયાસ કરીશ. પણ બની શકે છે કે, આપની સમસ્યાનું આ સંપૂર્ણ સમાધાન નથી.
વિવાહની બહાર જઇ શારીરિક સંબંધ બનાવા અંગે આપની પત્નીને જે ખચકાટ થઇ રહ્યો છે તે યોગ્ય છે. પ્રિબંધહીન લગ્ન એટલે કે તેની સાથે જીવવું કઠિન અને જટિલ વ્યવસ્થા છે. કારણ કે સેક્સ આપની ભાવનાઓ સાથે જોડાયા વગર સેક્સ ખુબજ અસ્વાભાવિક છે. એવું અમને શીખવવામાં આવે છે.
આ પહેલાં આપ આપની પત્ની સાથે વાત કરો. આ સુનિશ્ચિત કરો કે, આપ આપની સીમાઓ અને આપની પ્રાથમિકતાઓને સારી રીતે જાણો છો. આપ પોતાને પુછો કે આપનાં લગ્નનો મુખ્ય આધાર શું છે. શું આ તે વિશ્વાસ છે જેને તોડવો ન જોઇએ. આપને અસહજ કરવાં માટે વગર શારીરિક રૂપથી તે દરેક હદ શુધી જઇ શકે છે? શું આવી કોઇ સ્થિતિ છે જ્યારે આપ પોતે અસુરક્ષિત અનુભવ કરો છો અને પોતાને તુચ્છ સમજવા લાગ્યાં છો?
આપ આપની ભાવનાઓ અને ઇગો અને માસિક સીમાઓ અંગે આપનાં ખ્યાલ સ્પષ્ટ કરો. અનેઆ અંગે આપની પત્નીને પણ સ્પષ્ટ રૂપથી વાત કરો. આ ખુબ જ મહત્વપૂર્ણ છે. અને કૃપ્યા પોતાનાંથી ઇમાનદારી વર્તો. કારણકે એમ ન કરવા પર આપને આપની પત્નીથી નારજગી થશે. અને કોઇપમ લગ્નમાં નારાજગી એક ઘાતક ઝેરનું કામ કરે છે. અને તેનો કોઇ ઇલાજ નથી.
હવે આપે આપની પત્ની સાથે ખુલી અને ઇમાદાર વાતચીત કરવી જોઇએ. તેમને જણાવો કે આ વિશે આપ શું વિચારો છો. આપની સીમા શું છે અને આ વ્યવસ્થા વિશે આપ શું વિચારો છો. આ બાદ જ્યારે તે તેની ચિંતાઓ અને તેનું કારણ જણાવે છે તો આપ તેને ધ્યાનથી સાંભળજો.
સુનિશ્ચિત કરજો કે તેમની આ વ્યવસ્થા હેઠળ આગળ વધવા માટે ઉત્સાહિત કરતા પહેલાં આ વ્યવસ્થા આપ બંનેની મૂળ જરૂરીયાતો અને સીમાઓ વચ્ચે રુકાવટ પેદા ન કરે.એક વત આ પણ છે કે, એવું લાગે કે, આપ બંનેની વચ્ચે ખુબજ મજબૂત ભાવનાત્મક જોડાણ છે તો તેમાં એક બીજા માટે દયા પણ છે અને સંવેદનશીલતા છે. જો આપ તેને પ્રાથમિકતામાં રાખો છો તો આપને કોઇ જ મુશ્કેલી નહીં પડે.
સવાલ:હું મારા પાર્ટનરની સાથે માનસિક અને ભાવનાત્મક રીતે જોડાયેલો છું. પણ અમારા વચ્ચે યૌન સંબંધ નથી. આ કારણે હું અન્ય મહિલાની સાથે અંતરંગ સંબંધ બાંધવાનું વિચારું છુ હું જાણવાં ઇચ્છુ છું કે મારી આ વિચારણાં સ્વાભાવિક છે કે આવું કરવું વર્જિત છે.
જવાબ:કોઇની સાથે યૌન અંતરંગતા કે શારીરિક સંબંધ બનાવવાં સંપૂર્ણ રીતે સમાન્ય વાત છે. મનમાં આ પ્રકારનાં વિચાર કે ભાવનાઓ આવવામાં કંઇ ખોટુ નથી. અહીં સુધી કે સંબંધમાં પણ જ્યાં પાર્ટન્સની વચ્ચે જ્યાં ઘણાં અંશે આપસી વિશ્વાસ, પ્રેમ અને શારીરિક અંતરંગતા હોય છે.
કોઇ અન્ય અંગે યૌન સંબંધ જેમ કે કોઇ વિચાર કે ઇચ્છાનું હોવું સંપૂર્ણ સામાન્ય વાત છે. આપ આ ઇચ્છાઓને મારી નાખવાં માટે પણ સ્વતંત્ર છો કે નહીં તે આ વાત પર નિર્ભર કરે છે કે આપની વચ્ચે કેવો સંબંધ છે. તેની પ્રકૃતિ આ વાતની પરવાનગી આપે છે કે આનહીં.આપ એકબીજાથી કેવી આશા રાખો છો.
જો આપની પાર્ટનરને આપનાંથી ભવિષ્ય માટે કોઇ આશા રાખે છે જેમ કે આપ તેની સાથે જ રહો અને વિશ્વાસી રહો તો તે સ્થિતિમાં કોઇ અન્ય સાથે સંબંધ બનાવવાં આ વિશ્વાસને તોડવાનું થશે. પણ તે સ્થિતિમાં પણ જે લોકો પ્રત્યે તમે આકર્ષિત છો તેમનાં વિશે યૌન ઇચ્છાઓ કે કલ્પનાઓ થવી તે સમાન્ય વાત છે.
આ સહજ માનવીય પ્રવૃતિ છે. આપે તે માટે કોઇપણ પ્રકારની ગ્લાનિ કે શર્મિદગી અનુભવવાની જરૂર નથી.પછી જો તમે એમ વિચારતા હોવ કે આપ પાર્ટનરની સાથે શારીરિક સંબંધ નથી બાંધી શક્યા તેથી જ આપનાં મનમાં આવા વિચારો આવે છે તો તે ખોટું છે.જો તમારા શારીરિક સંબંધો હોતા તો પણ આવા વિચારો આવવાં સામાન્ય વાત છે.
જોકે, આ વિચારોથી બની શકે કે, આપનાં મનમાં એક પ્રકારની ઉદાસીનતા આવી ગઇ હોય વિશેષ કરીને આપ આપનાં પાર્ટનરની સાથે યૌન સંબંધ બાંધવા ઇચ્છતા હોવ. જો આ વાત છે તો આપ તેમને આપની ઇચ્છાથી અવગત કરાવી શકો છો.
ઘણાં કપલ્સને તેમનાં રિલેશનનાં શરૂઆતનાં સમયમાં, જેને આપણે ‘હનીમૂન પિરિયડ’ કહીયે છીએ, તેમાં જ તેઓ યૌન જીવનનું પરમ સુખ મેળવી લે છે. અને બાદમાં તેઓ કામનાં ભાર હેઠળ કે કર્તવ્યો કે બાળકોનાં લાલન પાલનમાં વ્યસ્ત થઇ જાય છે. અન્યત્ર વ્યસ્તતા, નાણાંકીય પરિસ્થિતિ કે પછી સ્વાસ્થ્યની સમસ્યાને કારણે તેઓ એકબીજાથી દૂર થઇ જાય છે.
આ સારી વાત છે કે આપ આપનાં પાર્ટનરની સાથે માનસિક અને ભાવનાત્મક રીતે જોડાયેલાં છો. શું આપે ક્યારેય આ વાત જાણવાનો પ્રયાસ કર્યો કે, કયા કારણથી આપ અને આપનાં પાર્ટનરની વચ્ચે યૌન સંબંધ નથી થયા? શું આ આપ બંનેનો આપસી નિર્ણ છે કે અન્ય કંઇ.યૌન અંતરંગતા, સંબંધોની જેમ જ, પ્રતિબદ્ધતા અને સમ્પર્કની માંગ કરે છે. યૌન અંતરંગતા સંભોગ માત્ર નથી. અડવું, ગળે મળવું, આલિંગન, હાથ પકડવો અને નરમ સ્પર્શ આ તમામ પણ તેનો ભાગ છે.
આ શારીરિક લગાવ યૌન સંબંધનો રસ્તો તૈયાર કરે છે. જે આનંદ પ્રાપ્ત કરવાં પર કેન્દ્રિત થાય છે. આપનાં પાર્ટનર સાથે વાતચીત કરવી તેમાં પણ સેક્સ અંગે વાત કરવી યૌન સંબંધ બનાવવાની પૂર્વ સ્થિતિ છે. અને તે દ્વારા તેને વધુ રોમાંચક બનાવી શકાય છે. નીચે અમે આપને એવી જ કેટલીક સંભાવિત વાતચીત આપી રહ્યાં છે જે આપની બેડરૂમમાં યૌન અને ઉત્તેજના વધારી શકે છે.
મોટાભાગનાં કપલ એવું વિચારીને જ સંભોગ કરે છે કે તેનો એક માત્ર ઉદ્દેશ ઓર્ગેઝમ છે.તેનાં પર જ વધુ ધ્યાન કેન્દ્રિત કરે છે. જેને કારણે તેનો વાસ્તવિક આનંદ નષ્ટ થઇ જાય છે. આ બદલે, શારીરિક આનંદ પર વધુ ધ્યાન આપો. જેમાં યૌન અંતરગંતામાં વધુ સમય હોય ન કે યૌનિક ઓર્ગેઝમમાં વધુ સમય હોય કે માત્ર તે માટે જ ઉત્સુક હોવ.
આ વિચાર આપને તે સમયે પણ આવી શકે છે જ્યારે આપ આપની પાર્ટનર સાથે અંતરંગ, ભાવાત્મક યૌન સંબંધમાં હોવ છો. આપનાં પાર્ટનરની સાથે સંભોગ માણવો તેનો ઉકેલ ન હોઇ શકે.
વાસ્તવમાં આપને આ સમસ્યાનાં ઇલાજની જરૂર છે જ નહીં. કારણ કે કોઇ સમસ્યા જ નથી. આ એક સામાન્ય વાત છે. આપનાં પાર્ટનરી સાથે સ્વસ્થ યૌન સંબંધ બનાવી રાખવામાં એક ફાયદો એ છે કે, મે જે યૌન કુંઠાની વાત કરી તેનાંથી આપને બચવામાં મદદ મળશે.
જો આપનાં મનમાં આ બાદ પણ આવા પ્રકારનાં વિચારો આવે છે તો સમજજો કે, તેમાં ન તો આપની કોઇ ભૂલ છે ન તો આપના પાર્ટનરની કે ન તો તમારા સંબંધમાં કોઇ કમી છે.પોતાનાં માટે દયાભાવ રાખો.આ વિચાર સામાન્ય વાત છે.
સવાલ:મારી પુત્રીની ઉંમર ૨૨ મહિના છે. તેની તંદુરસ્તી ખૂબ જ સારી છે. લગભગ છેલ્લાં એકાદ મહિનાથી તેની આંખોની પાંપણ પર સફેદ ડાઘ ઉપસી આવ્યા છે. તે કોઢ હોવાની મને શંકા છે. બે-ત્રણ ડૉક્ટરોએ જણાવ્યું હતું કે આ કોઢ નથી.
પરંતુ કરોળિયા છે. મારી શંકાના સમાધાન માટે આયુર્વેદિક ડૉક્ટરને બતાવ્યું તો તેમણે આ કોઢ હોવાનું નિદાન કરતા ચેતવણી આપી હતી કે ટયૂબ કે મલમ કે લેપ લગાડવાથી આ ડાઘા વધુ સફેદ બનશે. અને આજુબાજુ ફેલાશે. આ કોઢ હશે કે કરોળિયા એ જણાવવા તેમજ તેનો ઇલાજ સૂચવવા વિનંતી.
તમારી પુત્રીને કોઢ છે કે કરોળિયા એ નિદાન કરવાનું કામ ડૉક્ટરનું છે. અમે ડૉક્ટર નથી અને આમ પણ જોયા વિના કહેવું મુશ્કેલ છે. આથી ડૉક્ટરનું કામ ડૉક્ટરને જ કરવા દો. તમારી ચિંતા હું સમજી શકું છું. હું તમને માત્ર એટલી જ સલાહ આપી શકું છું કે તમે તમારી નજીકના કોઇ શહેરમાં પ્રેક્ટિસ કરતા ત્વચા રોગ નિષ્ણાતનો સંપર્ક કરો અને તેમની સલાહ અનુસાર ઉપચાર કરાવો.
સવાલ.હું ૨૪ વર્ષની છું. મારા લગ્નને એક વર્ષ થયું છે. મને સેક્સની બહુ ઇચ્છા થાય ત્યારે હું હસ્તમૈથુનને સહારો લઉં છું. મારી બીજી સમસ્યા એ છે કે માસિક દરમિયાન મને એક જ દિવસ રક્તસ્ત્રાવ થાય છે અને તેનું પ્રમાણ ઘણું ઓછું હોય છે. શું હસ્તમૈથુનની આદત અને માસિકની તકલીફને કારણે મને માતા બનવામાં મુશ્કેલી થશે. બીજું સંભોગ પછી મારામાંથી બધુ જ વીર્ય બહાર નીકળી જાય છે. શું આ કારણે મને ગર્ભ રહેતો નહીં હોય.
જવાબ.હસ્તમૈથુન અને ગર્ભ રહેવા સાથે કોઇ સંબંધ નથી. કામવાસના દૂર કરવા માટે લગ્નબાહ્ય સંબંધ બાંધવા કરતા હસ્તમૈથુન આદર્શ છે. શરીરનો આવેગ દૂર કરવાનો આ એક કુદરતી માર્ગ છે. હા, માસિક ઓછું આવે છે એ વાત ચિંતા ઉપજાવે તેવી છે.
આ માટે તમે કોઇ નિષ્ણાત ગાયનેકોલોજીસ્ટનો સંપર્ક કરો. તમારી અને તમારા પતિની અમુક ટેસ્ટ પછી તેઓ ઉપચાર જણાવશે. સંભોગ દરમિયાન વીર્ય બહાર આવવું એ સામાન્ય છે. ગર્ભ રહેવા માટે વીર્યનું એક ટીપું પણ કાફી છે. આથી એની ચિંતા કરવાની પણ જરૂર નથી.
સવાલ.હું ૨૭ વર્ષની છું.મારા પતિ પણ ૨૭ વર્ષના છે. અમારા લગ્નને પાંચ વર્ષ થયા છે પણ હજુ સુધી અમને સંતાન નથી. લગ્નના પહેલા વર્ષ મને ગર્ભ રહ્યો હતો. પરંતુ તે સમયે સંતાનની ઇચ્છા નહીં હોવાથી મેં ક્યુરેટિન કરાવ્યું હતું. ડૉક્ટરે કહ્યું હતું કે ક્યૂરેટિન કરવાથી ગર્ભ જલદી રહેતો નથી. તો શું હવે મને પ્રેગનન્સી રહેશે નહીં? સંભોગ દરમિયાન મારા પતિનું વીર્ય બહાર આવી જાય છે. મારા પ્રશ્નનું યોગ્ય સમાધાન સૂચવવા વિનંતી.
જવાબ.કોઇ નિષ્ણાત ગાયનેકોલોજીસ્ટને દેખાડી તેમની સલાહ મુજબ તમારે અને તમારા પતિએ ટેસ્ટ કરાવવાની જરૂર છે. તમારી સમસ્યાનો ઉપાય માત્ર ડૉક્ટર પાસે જ છે. સેક્સ કર્યાં પછી વીર્ય બહાર નીકળી જાય છે. એ સમસ્યાનું સમાધાન આગલા જ પ્રશ્નના ઉત્તરમાં આપ્યું છે.
સેક્સોલોજીસ્ટોએ જણાવ્યા પ્રમાણે માસિક આવી ગયા પછી એક અઠવાડિયું છોડી બીજા અને ત્રીજા સપ્તાહમાં એકાંતરે સંબંધ બાંધ્યા પછી સ્ત્રી પોતાના ઘૂંટણ છાતી પાસે લાવીને અડધો કલાક એ સ્થિતિમાં સૂઇ રહે તો ગર્ભ રહેવાની શક્યતા છે. પરંતુ આ પધ્ધતિ અપનાવવાથી ગર્ભ રહેશે એમ ગેરેન્ટી સાથે કહી શકાય તેમ નથી.
આ ઉપરાંત સમાગમ દરમિયાન જેલી કે કોઈ ચીકણો પદાર્થ વાપરતા હો તો તે બંધ કરી દો. આ કારણે શુક્રજંતુની ગતિ મંદ થઇ જાય છે કે તે ગતિહીન થઇ જાય છે. તમે કોઇ નિષ્ણાતની સલાહ લો. આપણે બનતી મહેનત કરવી. ફળ આપવાનું કામ ઇશ્વરનું છે. આથી નિરાશ થવાની જરૂર નથી.
સવાલ.હું ૨૪ વરસનો છું. મારાથી મોટી મહિલા સાથે મારે ઓળખાણ થઇ અને હવે અમારી વચ્ચે શારીરિક સંબંધ છે. તે રોજ સહવાસ માટે મને મજબૂર કરે છે. મારે હવે આ પ્રકરણ સમાપ્ત કરવું છે તો મારે શું કરવું એ જણાવવા વિનંતી.
જવાબ.તમારી મરજી વિરુધ્ધ કોઇ તમને શારીરિક સંબંધ બાંધવા મજબૂર કરી શકે તેમ નથી. તમે એ સ્ત્રીને ઉત્તેજન આપ્યું હશે એટલે જ તે આગળ વધી હશે. તમારે આ સંબંધ પર પૂર્ણવિરામ મૂકવું હોય તો એ મહિલાને આ બાબતે સ્પષ્ટ શબ્દોમાં જણાવી દો અને તેની સાથે બધો જ વ્યવહાર બંધ કરી દો. બોલવા ચાલવાનું બંધ કરો અને તેનાથી દૂર રહો.
સવાલ.મારી ઉંમર ૫૪ વર્ષ છે. મારી પત્નીની ઉંમર ૫૧ વર્ષ છે. મારી પત્નીને સેક્સમાં બહુ રસ પડતો નથી. તેને ફોરપ્લેમાં પણ રસ નથી પડતો. ક્યારેક તેને સ્પર્શ ગમે છે તો ક્યારેક નથી ગમતો. સમજાતું નથી કે તેને શું ગમે છે. મને અઠવાડિયામાં એકાદ વખત સંભોગ કરવાની ઇચ્છા થાય છે. મને ઘણા કામુક વિચારો આવે છે છતાં મારું શિશ્ન આપમેળે ઉત્તેજિત નથી થતું.
પહેલાં તો કલ્પનામાત્રથી ઉત્તેજના આવી જતી હતી. હવે હસ્તમૈથુન કરીને ઉત્તેજના લાવવી પડે છે. પત્નીના સ્પર્શથી ઉત્તેજના આવે છે, પણ તેને સેક્સની જરાય ઇચ્છા નથી થતી. મને જલદી સ્ખલન થઈ જાય છે એ માટે શું કરવું પત્નીને રસ લેતી કરવા માટે શું થઈ શકે?
જવાબ.ઉંમર થવાની સાથે આવા બદલાવો સહજ છે. યુવાનીમાં કલ્પના માત્રથી ઉત્તેજના આવી જાય છે, પરંતુ ઉંમર વધતાં ધીમે ધીમે કલ્પનાની સાથે સ્પર્શનો સહારો લેવો પડે છે. ઉંમરને કારણે હૉમોર્ન્સમાં આવતા પરિવર્તનને કારણે માત્ર વિચારથી આવતી ઉત્તેજના ઓછી થઈ જાય એ સ્વાભાવિક છે.
આ એક નૉર્મલ પ્રક્રિયા છે અને એને માટે ઇલાજની કોઈ જ આવશ્યકતા નથી. કામુક કલ્પનાઓથી ઉત્તેજના આવી જવી જોઈએ એવી અપેક્ષા તમે છોડી દો અને પરસ્પરને સ્પર્શ અને રોમૅન્ટિક સંવાદોથી ઉત્તેજિત કરો.
પત્નીને ઉત્તેજિત કરવા માટે સૌથી પહેલાં તો તેના ઘણા અણગમા જાણી લેવા જરૂરી છે. બની શકે કે તેને જે પ્રકારે સ્પર્શ પસંદ નથી એવું જ તમે કરતા હો એને કારણે તેઓ અકળાઈ જતાં હોય. દરેક સ્ત્રીની પસંદ-નાપસંદ યુનિક હોય છે એટલે પત્નીને ગમતી ચીજ શોધવા માટે તમારે ટ્રાયલ્સ કરવી જ રહી. સંભોગ પહેલાંની સંવનનની ક્રિયામાં થોડો વધુ સમય આપવો પડે એ પણ એક નૉર્મલ પ્રકિયા છે. ઘણી વાર કારણ વગરની ચિંતા પણ ઉત્તેજનામાં અવરોધ લાવી શકે છે.
શીઘ્રસ્ખલનનું મોટું કારણ ચિંતા અને ઍન્ગ્ઝાયટી હોય છે એટલે સમાગમ પહેલાં રિલૅક્સ થવું જરૂરી છે. જલદી સ્ખલન ન થાય એ માટે ડૅપોક્સિટિન નામની ગોળી લેવી. એ ગોળી સમાગમના એક કલાક પહેલાં લેવાની હોય છે. અલબત્ત, એ તમે ઓવરઑલ બૉડી ચેકઅપ કરાવીને ફૅમિલી ડૉક્ટરને કન્સલ્ટ કરીને જ લો એ બહેતર રહેશે.