પ્રશ્ન: હું ૧૯ વર્ષની યુવતી છું. ૨ મહિના પહેલાં મારાં લગ્ન થયાં છે. મારા પતિનું કહેવું છે કે મારી યોનિમાં કસાવની ખામી છે. આ કારણથી તેમને સેક્સ વખતે આનંદ નથી મળતો. મહેરબાની કરી કોઈ એવા ઘરગથ્થુ ઉપાય બતાવો, જેથી હું આ સમસ્યાથી બહાર આવી શકું.
ઉત્તર:તમારા પત્રથી એ બાબત તરફ ઇશારો થાય છે કે તમે તમારા શ્રોણિપ્રદેશમાં ટિશૂઓમાં નવી ચુસ્તી અને કસાવ લાવવા માંગો છો. યોનિના ટિશૂઓને મજબૂત બનાવવાથી યોનિની ઢીલાશ દૂર થઈ શકે છે અને ચરમ જાતીય સુખની આનંદમયી અનુભૂતિ કરી શકાય છે. આ માટે માત્ર સરળ એવો એક વ્યાયામ કરવો પડશે, જેનાથી પ્યૂબોકાકસીજિયસ ટિશૂઓ ધીરે ધીરે મજબૂત થતાં જાય છે. આ વ્યાયામ ક્યાંય પણ ક્યારે પણ અને કોઈ પણ મુદ્રામાં કરી શકાય છે.
બસ, એટલું કરવાનું છે કે મૂત્ર પ્રવાહ રોકવા માટેના ટિશૂઓને અંદરની તરફ એવી જ રીતે ખેંચો જેવી રીતે મૂત્રના આવેગને રોકો છો.૩ સેકન્ડ સુધી પ્યૂબોકાકસીજિયસ ટિશૂને એ રીતે અંદર જ ખેંચી રાખો. પાછી ફરી ૩ સેકન્ડ માટે શરીરને ઢીલું છોડી દો. હવે એક વાર ફરી પ્યૂબોકાકસીજિયસ ટિશૂને ૩ સેકન્ડ સુધી અંદર ખેંચો, ફરી ૩ સેકન્ડ માટે તેને ઢીલા છોડી દો.
૧૦-૧૦ વખત સવાર-સાંજ આ વ્યાયામ કરો અને ફરી વધારતાં જઈને ૨૫-૨૫ વખત સવાર અને સાંજ કરો. ટેવ પડી જાય પછી ઝડપથી કરવા લાગો. આ વ્યાયામથી ૧૦-૧૨ અઠવાડિયામાં જ તમે તમારી અંદર મોટાં પરિવર્તનનો અનુભવ કરવા લાગશો. આમ કરતાં રહેવાથી તમારા શ્રોણિકગુહાનાં અંગોને યોગ્ય આધાર મળતો રહેશે.
પ્રશ્ન: હું ૧૭ વર્ષની છું. મારી ઊંચાઈ બહુ ઓછી છે. હું બીજી છોકરીઓથી બહુ નાની દેખાઉં છું. મારી ઓછી લંબાઈને કારણે બહુ નિરાશા થાય છે. હું બહારની કોઈ દવા લેતી નથી ઇચ્છતી. મહેરબાની કરીને ઊંચાઈ વધારવા માટે કોઈ ઘરગથ્થુ ઉપાય બતાવો.
ઉત્તર: ભારતીય આયુર્વિજ્ઞાન અનુસંધાન પરિષદના તત્ત્વાવધાનમાં થયેલા સામૂહિક અભ્યાસથી જાણવા મળ્યું છે કે ભારતીય છોકરીઓની લંબાઈ ૧૫-૧૬ વર્ષની ઉંમર સુધી જ વધે છે. તે પછી ભાગ્યે જ થોડીક છોકરીઓની લંબાઈ વધી શકે છે. જેમનામાં આ વૃદ્ધિ થાય છે તે પણ સાવ સાધારણ જ હોય છે.
મોટા ભાગે આ ઉંમરે હોર્મોનલ પરિવર્તન આવવાની સાથે સાથે હાડકાંના વધતાં છેડા બાકીનાં હાડકાં સાથે જોડાઈ જાય છે અને તેમની વધવાની ક્ષમતા ખલાસ થઈ જાય છે. તમારી ૧૭ વર્ષની ઉંમર થઈ ગઈ છે. તેથી તમે પણ આ શારીરિક ફેરફારમાંથી પસાર થઈ ગયા હશો. આમાં તમારી વર્તમાન લંબાઈથી જ સંતોષ પામવા સિવાય તમારી પાસે બીજો કોઈ ઉપાય નથી.
કોઈ પણ દવા, રસી, વ્યાયામ અથવા ભોજનથી હવે લંબાઈ વધારવાનું શક્ય નથી. તમે તમારી લંબાઈ વિશે ચિંતા ના કરો અને તમારા વ્યક્તિત્વના વિકાસ પર ધ્યાન આપો તે જ યોગ્ય રહેશે. બહાર નીકળતી વખતે ઊંચી એડીના જૂતા-સેંડલ પહેરો અને તમારો પહેરવેશ પણ એવો રાખો કે તમારી લંબાઈ વધુ દેખાય.
પ્રશ્ન: હું ૨૨ વર્ષની કોલેજની વિદ્યાર્થિની છું અને મારા ગાલ પર એક કાળો ડાઘ છે, જે ચહેરાને સાફ કરવાથી પડયો છે. કોઈ એવો સરળ નુસખો બતાવો, જેનાથી ડાઘ દૂર થઈ શકે.
ઉત્તર: ચહેરો વધુ પડતો ઘસવાના કારણે જે સોજો બની ભાગ ઊપસી આવ્યો છે, તેનાથી થયેલા હાયપરપિગમેન્ટેશનને કારણે ડાઘ પડયો છે, જે સમય જતાં આપોઆપ ઓછો થઈ જશે. તમે ઇચ્છો તો હાઈડ્રોક્વીનોન યુક્ત કોઈ ક્રીમ લગાવી શકો છો. આકરા તાપથી ચહેરાને દૂર રાખશો.
પ્રશ્ન: હું ૨૩ વર્ષનો છું. મને હસ્તમૈથુનની કુટેવ પડી ગઈ છે. હું એ છોડવા માગું છું. શું આ માટે કોઈ સેક્સોલોજિસ્ટની સલાહ લેવી ઠીક રહેશે? એક યુવક (જામનગર)
ઉત્તર:સામાન્ય રીતે અપરિણીત યુવકોમાં આવી અકૂદરતી મૈથુનની કુટેવ જોવા મળે છે. દ્દઢ સંકલ્પ કરી લો, તો તમે એનાથી છૂટી શકશો. આ માટે કોઈ સેક્સોલોજિસ્ટની પાસે જઈ સમય અને પૈસા બગાડવાની જરૂર નથી. તમારાં લગ્ન થઈ જશે ત્યારે આ કુટેવ પણ આપોઆપ છૂટી જશે.
સવાલ:હું ૧૯ વરસની છું. મારી જ ઉંમરની એક યુવતી સાથે મારે મૈત્રી છે. છેલ્લા દસ વરસથી અમે એકબીજાના મિત્રો છીએ. તે એક યુવકના પ્રેમમાં છે. પરંતુ એ યુવકે હમણા મને તેની સાથે બહાર આવવાનું આમંત્રણ આપ્યું અને મને ગુલાબના ફૂલો અને કાર્ડ પણ આપ્યા.
આ કારણે મને ઘણો આઘાત લાગ્યો છે અને મને મારી બહેનપણીની ચિંતા પણ થાય છે. તેને એ યુવક પર આંધળો વિશ્વાસ છે. તેને આ વાત કહેવી કે તે હું જાણતી નથી. મારે તેને આ યુવકથી બચાવવી છે. યોગ્ય માર્ગદર્શન આપવા વિનંતી.
જવાબ:તમારી ચિંતા સમજાય એવી છે. હમણા તમે શાંતિ રાખો. આ વિશે એક શબ્દ પણ બોલો નહીં. તમારી જેમ એ છોકરાઓ બીજી છોકરીઓને પણ ગુલાબ તેમજ કાર્ડ મોકલ્યા હશે. આથી આ વાત તમારી સહેલીથી વધુ સમય છૂપી રહી શકે તેમ નથી. તેને તેની જાતે જ આ વાતની ખબર પડવા દો.
સવાલ:હું સામાન્ય દેખાવની ૧૭ વરસની યુવતી છું. એક હેન્ડસમ યુવક સાથે મને પ્રેમ છે. તે પણ મારા પ્રેમમાં છે. તે મને ઘણો પ્રેમ કરે છે અને મારી ઘણી કાળજી લે છે. હું તેનાથી ઓછી દેખાવડી છું એમ મને ક્યારે પણ લાગવા દેતો નથી. પરંતુ કેટલાક દિવસ પૂર્વે તેણે મને કહ્યું કે તેના પરિવારના સભ્યોને લાગે છે કે હું તેને યોગ્ય નથી આથી તે મારી સાથે લગ્ન કરવાનો વિચાર છોડી દે. આ કારણે હું ઘણી ડિપ્રેશ થઇ છું. શું કરવું એ મને સમજાતું નથી. યોગ્ય સલાહ આપવા વિનંતી.
જવાબ:તમારો પ્રેમી તમને ખરા હૃદયથી પ્રેમ કરતો હશે તો તે તેના પરિવારની વાત માન્યા વગર તમારી સાથે લગ્ન કરશે. આથી તમારે ચિંતા કરવાની જરૂર નથી. પરંતુ તે તેના પરિવારની મરજી પર ધ્યાન આપે તો તે તમારે લાયક નથી અને તમારે આ સંબંધ પર પૂર્ણવિરામ મૂકી દેવું જોઇએ. તે એમ માને તમે એને લાયક નથી તો એ સાબિત કરે છે કે તેના મૂલ્યો છીછરા છે. અને એક વ્યક્તિ તરીકે તેને તમારી કદર નથી.
તેણે માત્ર સમય પસાર કરવા જ તમારી સાથે સંબંધ બાંધ્યો છે. તેને તમારો સાથ નહીં છોડવાની વિનવણી કરી કે તેની સામે રડી તમારા આત્મસન્માનને ઠેસ પહોંચાડતા નહીં. આમ પણ તમારી ઉંમર હજુ નાની છે. આથી હમણા ભણવામાં ધ્યાન આપો અને આ વાત ભવિષ્ય પર છોડી દો.
સવાલ:હમણા જ એક ટેસ્ટ દરમિયાન મને ખબર પડી કે મને ડાયાબિટિસ છે. શું આ કારણે મારી સેક્સ લાઇફ પર કોઇ અવળી અસર થવાની શક્યતા છે.
જવાબ:અમુક શારીરિક તકલીફ કે રોગને કારણે સેક્સ લાઇફ પર પ્રભાવ પડે છે. ડાયાબિટિસ આમાનો એક છે. પુરુષોને પ્રિ-મેચ્યોર ઇજેક્યુલેશન તેમજ ઇરેક્શન ન થવા જેવી તકલીફોનો સામનો કરવો પડી શકે છે.
તેમજ સ્ત્રીઓને યોનિમાં શુષ્કતા તેમજ સંભોગ દરમિયાન દુ:ખાવો જેવી સમસ્યા થઇ શકે છે. પરંતુ આ માત્ર કોમ્પ્લિકેશન જ હોઇ શકે છે. કોઇ નિશ્ચિત લક્ષણ નથી. તમને લાંબા સમયથી ડાયાબિટિસ હોય અને તમે યોગ્ય સારવાર તેમજ પરેજી પાળી હોય તો આ કોમ્પ્લિકેશન તમને થવાની શક્યતા છે. પરંતુ યોગ્ય ઉપચાર અને પરેજી ચાલુ હોય તો ચિંતા કરવાની જરૂર નથી. તમે સ્વસ્થ સેક્સ લાઇફ માણી શકો છો.
સવાલ:મારા પતિ કામને કારણે મોટેભાગે શહેરની બહાર રહે છે. કેટલાક દિવસો પૂર્વે મારી મુલાકાત મારા એક જૂના મિત્ર સાથે થઇ હતી અને અમારી વચ્ચે શારીરિક સંબંધ બંધાયા. મારા પતિને આ વાતની જાણ થશે એ વાતનો હવે મને ડર લાગે છે.
જવાબ:કોઇ મહિલાના કોની સાથે સંબંધ હતા એ વાત તે પોતે કહે નહીં ત્યાં સુધી કોઇ જાણી શકતું નથી. આ માટેના કેટલાક મેડિકલ ટેસ્ટ છે અને આ ટેસ્ટ પણ સંબંધ બન્યા પછીના અમુક કલાક દરમિયાન જ કરાવવામાં આવે તો જ ખબર પડે છે. આથી ચિંતા છોડી દો. હા, તમારો અપરાધબોજ કે સંભોગ દરમિયાન ડર કે તણાવ તમારા પતિના મનમાં શંકા ઉત્પન્ન કરી શકે છે. હવે આ ઘટનાનું પુનરાવર્તન થાય નહીં એ વાતનું ધ્યાન રાખજો.
સવાલ: હું એક યુવતી છું. અત્યાર સુધી હું સુખી લગ્નજીવનના સપનાઓ જોતી હતી. પરંતુ હમણા મને ખબર પડી હતી કે મારી માસીના પતિએ તેમની સાથે વિશ્વાસઘાત કર્યો છે. મારી ખાસ બહેનપણીને તેના પ્રેમીએ દગો આપ્યો છે. મારી બહેનના પણ વેવિશાળ પણ તૂટી ગયા છે. આ જાણ્યા પછી મારો પુરુષ જાત ઉપર વિશ્વાસ તૂટી ગયો છે અને લગ્ન કરતા પણ ડર લાગે છે. તો હું શું કરૂ- એક યુવતી
જવાબ: બધાના જીવનમાં આવો એક તબક્કો આવે જ છે જ્યારે ચારે બાજુથી નિરાશા પ્રાપ્ત થાય છે. આ કારણે ચિંતા થવાનું સ્વાભાવિક હોય છે. પરંતુ આવા ત્રણ ચાર બનાવોને કારણે સંપૂર્ણ પુરુષ જાત પ્રત્યે તિરસ્કાર કરવો યોગ્ય નથી હોતો. પુરુષો વફાદારી કરતા દગો કરવા માટે વધુ પ્રખ્યાત હોય છે એ વાત સાચી છે.
પરંતુ સામે પક્ષે પ્રેમાળ પિતા, દાદા, ભાઇ, પતિ જેવા ઘણા ઉદાહરણો મળી આવશે. સ્ત્રીનો વિશ્વાસઘાત કરનારા પુરુષો વિશે વિચાર કરો સાથે સાથે સ્ત્રીને ટેકો આપનારા પુરુષોનાં ઉદાહરણો પણ સામે રાખો. સિક્કાની બે બાજુની જેમ આ બાબતે પણ બે પ્રકારના પુરુષો હોય છે આથી બધી ચિંતા છોડી દો.
સવાલ: હું એક નોકરી કરતો પરિણીત યુવક છું. હું એ જાણવા માગું છું કે સુહાગરાતે જો કોઈ યુવતીને રક્તનો સ્ત્રાવ ન થાય, અસહ્ય પીડાથી તે ચીસો ન પાડે, તો શું એને ચારિત્ર્યહીન સમજવું જોઈએ?
જવાબ: પ્રથમ સમાગમ વખતે સ્ત્રીઓને થોડું કષ્ટ તો થાય છે, પરંતુ તે એટલું અસહ્ય નથી હોતું કે સ્ત્રી તેને સહી જ ન શકે અને ચીસો પાડે. એ દરમિયાન રક્તનો સ્ત્રાવ થાય એય કંઈ અક્ષત કૌમાર્યની નિશાની નથી હોતી.તમે તમારા મનમાંથી ખોટી ધારણાઓ કાઢી નાખો. તમારા સંસારને સુખી બનાવવાનો પ્રયત્ન કરો. શક દામ્પત્યજીવનના પાયાને ડગમગાવી નાખતો હોય છે.
સવાલ: મારે મારી એક મહિલા મિત્ર સાથે છેલ્લાં ૧૨ વર્ષથી પ્રેમસંબંધ બંધાય ગયો છે. એ પણ પરણેલી છે. અમારા બંનેનો પ્રેમ નિષ્પાપ છે. બંને પોતપોતાના સંસારમાં વ્યસ્ત રહીયે છીએ, પરંતુ હજી પણ એકબીજાને મળવા અને વાતો કરવા માટે આતુર હોઈએ છીએ.
આ માટે ફોન કે પત્રોનો આધાર લઈએ છીએ પણ અમે કદી એવું કામ નથી જ કર્યું, જેથી અમને પસ્તાવો થાય. આમ છતાં બંનેને એક ડર હંમેશા રહે છે કે અમારા આ સંબંધની જાણ ક્યાંક ઘરનાંને ન થઈ જાય. શું કરીએ જેથી દોસ્તી પણ ટકી રહે અને ઘરની શાંતિ પણ ન છીનવાય જાય?
જવાબ: તમારે પરસ્પર પત્રવ્યવહાર તો ભૂલથી પણ ન કરવો જોઈએ. અને ફોન પણ બહુ સાવચેતી રાખી ક્યારેક જ કરવો. ભલે તમારો પ્રેમ નિષ્પાપ હોય છે પરંતુ તમારી મિત્રતા પતિને અને તમારી પત્નીને એ ક્યારેય મંજૂર નહીં જ હોય.
સવાલ:હું એક પરણિત પુરુષ છું મારા લગ્ન થયાને હજુ માત્ર એક જ વર્ષ થયું છે અને મારી ઉમર 25 વર્ષ છે અને મારી પત્નીની ઉમર 22 વર્ષની છે.અત્યાર સુધી મેં નિરોધ વગર સમાગમ કર્યું જ નથી પરંતુ હમણા મને આમા અસુવિધાનો અનુભવ થાય છે અને મને આ વાત પર ખૂબ જ ચિંતાનો અનુભવ થાય છે.મેં સાંભળ્યું છે કે મહિનામાં અમુક દિવસે સમાગમ કરવામાં આવે તો ગર્ભ રહેતો નથી શું આ વાત સાચી છે યોગ્ય માર્ગદર્શન આપવા વિનંતી.
જવાબ:સમાગમ દરમિયાન નિરોધનો ઉપયોગ કરવો એ તમારા સ્વાસ્થ્ય માટે પણ સારું છે.એક સમયે એવું માનવામાં આવતું હતું કે માસિકના એક સપ્તાહ પૂર્વે અને પછી સમાગમ કરવામાં આવે તો ગર્ભ રહેતો નથી.પરંતુ આ પદ્ધતિ પણ સંપૂર્ણ સુરક્ષિત નથીઆથી તમને ડિપ્રેશન આવતું હોય તો તમારી પત્ની ગર્ભનિરોધક ગોળી લઈ શકે છે પછી કોપર-ટી બેસાડી શકે છે.જેથી તમારે કોઈ સમસ્યા થશે નહીં.
સવાલ:મારી ઉંમર 25 વર્ષ છે અને મારા લગ્ન થઈ ગયા છે મારી પત્ની ની ઉમર 22 વર્ષ છે અને મારા લગ્નને એક વરસ થયા હોવા છતાં અમે સમાગમ કરી શક્યા નથી.મને ઈચ્છા ઘણી થાય છે પંરતુ શિશ્નોત્થાનમાં તકલીફ છે લગ્ન પૂર્વે મેં આની તપાસ કરાવી હતી પરંતુ મારામાં કોઈ ઉણપ નહીં હોવાનું રિપોર્ટમાં આવ્યું હતું. મેં આયુર્વેદિક અને એલોપેથિક દવાઓ લીધી છે પણ કોઈ ફાયદો થયો નથી. યોગ્ય સલાહ આપવા વિનંતી.
જવાબ:તમારા લગ્નને એક વર્ષ થયું છે અને તમે સમાગમ નથી કર્યું આ તમારે સમસ્યા મોટી છે માટે તમારે આ માટે સેક્સ્યુઅલ ડિસઓર્ડરની સમસ્યાનું નિવારણ કરતા કોઈ નિષ્ણાત સ્પેશિયાલિસ્ટને બતાવવાની જરૂર છે જે અમુક ટેસ્ટ લઈને તમારી સમસ્યાનું નિવારણ કરશે.
આ પછી જ યોગ્ય સારવાર શરૂ થઈ શકશે. માત્ર દવા પર આધાર રાખીને કામ ચાલશે નહીં. આમ કરી તો અંધારામાં તીર મારી રહ્યા છો આથી કોઈ નિષ્ણાતની સલાહ લઈ આગળ વધો.તમારી આ સમસ્યાના નિવારણ પછી તમે શારીરિક સંબંધ કરી શકો છો.
પ્રશ્ન: હું ૨૪ વર્ષની યુવતી છું. લગ્નને ૨ વર્ષ થઈ ગયાં છે. હજી સુધી મને સંતાનસુખ મળ્યું નથી. હકીકતમાં મારા પતિ સેક્સ ઉપરાંત હસ્તમૈથુન પણ કરે છે, કદાચ એટલે તેમનામાં કમજોરી આવી ગઈ છે અને તેઓ પિતા બનવા લાયક નથી રહ્યા. મારી એક સાહેલીએ જણાવ્યું કે વધારે સેક્સ કરવા અથવા હસ્તમૈથુન કરવાથી પુરુષોમાં પ્રજનનક્ષમતા સમાપ્ત થઈ જાય છે. શું હું ક્યારેય મા નહીં બની શકું.
ઉત્તર: આ કોલમમાં ઘણીવાર એ સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે હસ્તમૈથુનથી શરીર પર કોઈ ખરાબ અસર નથી થતી એટલે ન તો હસ્તમૈથુનથી કોઈ કમજોર બને છે, ન સંતાનપ્રાપ્તિ માટે અક્ષમ. તેથી કોઈની સાંભળેલી સંભળાવેલી વાતો પર વિશ્વાસ ન કરો. જો કોઈ શંકા હોય તો તેના સમાધાન માટે તોઈ આરોગ્ય અને પરિવાર કલ્યાણ કેન્દ્રમાં જઈને સ્ત્રીરોગ વિશેષજ્ઞાની સલાહ લો.
સવાલ: હું 19 વર્ષની છું અને 2 વર્ષથી બોયફ્રેન્ડ સાથે ડેટિંગ કરી રહી છું. આ પહેલાં મેં કોઈ સાથે શારીરિક સંબંધ બાંધ્યો નથી. અમે ઘણી વાર ઓરલ સેક્સ પણ કરીએ છીએ. હવે મને એક સવાલ છે કે, જો હું સીમન ગળી જઉં તો મારા શરીર પર તેની ખરાબ અસર પડશે અને અસર થાય તો કેવી તો આ વાતને ધ્યાનમાં રાખીને તમે કંઈક જણાવશો તો ખૂબ જ સારું રહેશે અને મને આ વિશે કાંઈ પણ ખબર પડતી નથી તો આ વિશે જણાવશો.
જવાબ:જવાબમાં કહેવામા આવ્યું છે કે જો તમારા પાર્ટનરને કોઈ પણ પ્રકારની એલર્જી કે ઇન્ફેક્શન ન હોય તો સીમન પણ ખાવાની બાકીની વસ્તુઓની જેમ તમારા શરીરમાં પચી જશે તેવું જણાવવામાં આવ્યું છે અને તેમજ આવામાં તમારે ટેનશન લેવાની જરૂર નથી તમે શારીરિક સંબંધ પણ બાંધી શકો છો પણ તમારે તેની કાળજી રાખવી જોઈએ અને તેમજ એવું પણ કહેવામા આવ્યું છે કે આવી વાતની તમારે ચિંતા કરવાની જરૂર નથી.