સવાલ.સમાગમમાં સૌથી વધુ આનંદ સ્ત્રીને ક્યા આસનથી આપી શકાય છે?પુરુષો સે*માં ક્યુ આસન વધારે પંસંદ કરે છે.
જવાબ.75 ટકા જેટલી ભારતીય સ્ત્રીઓનું કહેવું છે કે સમા*ગમ દરમિયાન તેઓ પોતે ઉપર અને પુરુષો નીચે હોય એવી સ્થિતિ પંસંદ કરે છે કારણ કે આ આસનમાં તેમની પાસે જ કંટ્રોલ હોય છે.
અને સાથે સાથે વિર્ય સ્ખલન થતા પણ વાર લાગે છે અને આમ છતાં પણ મોટાભાગના યુગલો મેલસુપીરિયર આસન જ પુરુષોની પંસંદમાં કોઇ સામ્યતા જોવા મળેલ નથી આ તો કોઇકને ચાઇનિઝ ભાવે તો કોઇક ને પંજાબી કે ગુજરાતી વળી કોઇક ઇટાલિન પણ વધારે પંસદ આવી શકે છે.
તે જ રીતે સં** માં પણ પોતાને અને સાથીને અનુકુળ હોય તેવી સ્થિતિમાં જાતીય જીવન માણી શકે છે અને કોઇવાર પરિસ્થિતિ પ્રમાણે પણ આસન બદલવા પડે છે જેમે સગર્ભા અવસ્થાના છેલ્લા મહિનાઓમાં પેટ પર વજન ના આવે તે જરૂરી છે.
તો તે સમયે સાઇડ બાય સાઇડ આસન વધારે અનુકુળ છે ટુંકમાં દામ્પ્તય જીવનમાં પતિ-પત્ની એ પોતાની અંગત સૂઝબૂઝ વાપરી પારસ્પરિક ઇચ્છાને અનુરૂપ સમાગમ કરવો જોઇએ.
સવાલ.હું 21 વરસનો છું મેં ઘણી છોકરીઓ સાથે જાતીય સંબંધ બાંધ્યા છે દરેક વખતે હું કોન્ડોમનો ઉપયોગ કરું છું પરંતુ છેલ્લી વાર સં** દરમિયાન કોન્ડોમ ફાટી ગયું હતું એ વખતથી મને મારા શિશ્નના ઉપલા ભાગમાં ખંજવાળ અને બળતરા થાય છે આનું કારણ શું હોઈ શકે છે?એક યુવક (ગોધરા)
જવાબ.આનું કારણ રબરની એલર્જી કે યોનિનું ઈન્ફેક્શન હોઈ શકે છે તમારા ફેમિલિ ડોક્ટરની સલાહ લો તેઓ કોઈ દવા લખી આપશે જેનાથી તમને ફાયદો થશે તમારી આ આદત જોખમી છે.
એક કરતા વધુ પાર્ટનર સાથે સે** માણવાથી એઈડ્સનો ખતરો રહે છે આ ઉપરાંત ગુપ્તરોગની પણ સંભાવના વધી જાય છે આથી તમારો આ અખતરો બંધ કરો અને આમ પણ આ માટે તમારી ઉંમર ઘણી નાની છે હમણા ભણવામાં કે કારકિર્દી બનાવવા પર ધ્યાન આપો કોઈ પણ વસ્તુનો અતિરેક નુકસાન નોતરે છે.
સવાલ.હું 33 વરસની છું મને બે સંતાન છે મેં હમણા જ સંતાનો થાય નહીં એ માટે ઓપરેશન કરાવ્યું છે મારે એ જાણવું છે કે ઓપરેશન પછી મારે શું તકેદારી રાખવી જોઈએ શરીર સંબંધથી અમારે કેટલો સમય દૂર રહેવું જોઈએ? એક બહેન (સુરત)
જવાબ.આ એક સામાન્ય ઓપરેશન છે આમા વધુ સંયમ પાળવાની જરૂર નથી ગણતરીના દિવસોમાં જ તમે સામાન્ય જીવન જીવી શકો છો સમાજમાં ફેલાયેલા અંધવિશ્વાસોથી દૂર રહો ઓપરેશનથી શરીર પર કોઈ ઊંધી અસર પડતી નથી.
દરેક અંગ પહેલા જેવું જ કામ કરે છે કામેચ્છા કે માસિક પર પણ કોઈ અસર થતી નથી બધુ સામાન્ય જ રહે છે હોર્મોન્સના સ્તરમાં પણ કોઈ ફરક પડતો નથી ઉલટાનું ગર્ભ રહેશે નહીં.
એ ચિંતા દૂર થવાથી કેટલીક સ્ત્રીઓ અગાઉની સરખામણીમાં વધુ યૌન સુખ અનુભવે છે તમારા ડોક્ટરે જ તમને કેટલા દિવસ સુધી આરામ કરવો વગેરેની સૂચના આપી હશે અને આપી નહીં હોય તો તેમની સલાહ લો.
સવાલ.હું 22 વરસની છું મારી હથેળીઓ અને તળવા પર બાળપણથી જ ઘણો પરસેવો વળે છે આ ઉપરાંત મારી હથેળીઓ પર કાળા ધાબા પણ છે આનું કારણ શું હોઈ શકે છે? મેં થાયરોઈડની તપાસ પણ કરાવી છે એનો રિપોર્ટ પણ નોર્મલ છે યોેગ્ય માર્ગ દર્શન આપવા વિનંતી.એક યુવતી (મુંબઈ)
જવાબ.આ સમસ્યાનું કારણ તમારી સંવેદનશીલતા હોઈ શકે છે પ્રસ્વેદ ગ્રંથિઓની સક્રિયતાને કારણે પરસેવો વળે છે સ્વેદ ગ્રંથિઓની સક્રિયતા પાછળ ઘણા કારણો કામ કરે છે પીડા ડર ક્રોધ તેમ જ ચિંતાને કારણે પણ આમ થઈ શકે છે.
શું તમે વધુ પડતા સંવેદનશીલ કે ચિંતિત છો?આમ હોય તો ચિંતા છોડી દો સહજ રીતે જીવવાનું શરૂ કરો કાળા નિશાનોથી વાત છે તો એ માટે તમને ડોક્ટર જ સહાય કરી શકશે તબીબી તપાસ વિના એનું કારણ જાણી શકાય તેમ નથી તમારે કોઈ નિષ્ણાત ડર્મેટોલોજિસ્ટની સલાહ લેવાની જરૂર છે.