મિત્રો આજના અમારા આ લેખમાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો તમને જણાવી દઈએ કે આજે હું તમારા માટે આ લેખમાં તમને એક એવી માહિતી આપવા જઈ રહ્યો છું જેના વિશે તમને ભાગ્યે જ ખબર હશે. તમને જણાવી દઈએ કે આજે અમે તમને ગુજરાતના એક એવા રાજા વિશે જણાવીશું કે જેના વિશે જાણીને તમે ચોંકી જશો. ગુજરત ના મહમદશાહ સાથે ઘણા રહસ્યો અકબંધ છે. તેને ઈતિહાસ મા મહમદબેગડા ના નામ થી પણ ઓળખવામા આવે છે અને તે ગુજરાતના સામ્રાજ્ય ના છઠ્ઠા બાદશાહ હતા. તેઓ નુ અંગત જીવન પણ અજીબોગરીબ હતુ. તે નિયમિત ઝેર પીતા હતા અને રોજનુ ૩૫ કિલો ભોજન આરોગતા હતા. નાની ઉંમરમા જ મહમદ બેગડાએ તેના પિતા ને ગુમાવી દીધા હતા.
દુનિયાભરમાં અનેક લોકો સ્વાદિષ્ટ ખાવાના શોખીન હોય છે. વળી, અમુક લોકો સ્વાદના નહિ પણ પેટ ભરીને ખાવાના શોખીન હોય છે.પરંતુ રોજ 35 કિલો જેટલો ખોરાક લગભગ કોઈક જ ખાઈ શકે. એવું મનાય છે કે મોટા કદના પહેલવાન લોકો કદાચ આટલો ખોરાક ખાતા હોય તો ખાતા હોય બાકી સામાન્ય લોકોનું તો આ કામ જ નથી.પરંતુ આજના આ જાણવા જેવું વિભાગના આર્ટિકલમાં અમે આપને એક એવા શાસક વિષે જણાવવાના છીએ જે આરામથી રોજનો 35 કિલો જેટલો ખોરાક આરોગતા હતા અને પચાવી પણ જાણતા હતા. એટલું જ નહિ પણ તે રોજ નિયત માત્રામાં ઝેરનું પણ સેવન કરતા હતા.
આ બાદ તેને જ ગાદી પર બેસાડવામા આવ્યા હતા. તેઓ ખુબ જ લાંબી મૂંછો તેમજ દાઢી રાખતા હતા. તેઓ ની મૂંછો લાંબી તેમજ રેશમી હતી કે તે તેને સાફા ની જેમ પોતાના માથા પર બાંધી લેતા હતા અને દાઢી પણ કમર સુધી ની લાંબી હતી. તેઓ ની આ લાંબી મૂછોમા જ તેઓ ની ભૂખ નુ રાઝ છૂપાયેલું હતું. તે પોતાના મંત્રીમંડળ મા પણ લાંબી દાઢી-મૂછોવાળા ને વધુ પ્રાધાન્ય આપતા હતા. તેના મોટાભાઇ સુલતાન કુત્બુદી્ન અહમદશાહ નુ મૃત્યુ ઝેર આપવાથી થયું હતું.
તેને પણ આવું ભોગવવુ ન પડે માટે તે સાવચેતી રૂપે બાળવય થી જ એક પ્રકાર ના ઝેર નુ સેવન કરવાની તેને ટેવ પાડવામા આવી હતી. આથી એમ કહેવાય છે કે તેના શરીર ઉપર માખી બેસતી તો તે પણ મરી જતી. એની ભૂખ અસીમ હતી. સવારે નાસ્તામા તે ૧૫૦ જેટલાં કેળાં ની સાથોસાથ એક પ્યાલો ઘી અને એક પ્યાલો મધ પીતો હતો. તેના દૈનિક ભોજન નુ વજન ગુજરાતી તોલ પ્રમાણે એક મણ જેટલુ હતું.
તે વારંવાર અલ્લાહે ને કહેતો હતો કે જો તેને સુલતાન ન બનાવ્યો હોત તો તેની ભૂખ કેવી રીતે સંતોષવામા આવતી. તે આ ખોરાક પ્રમાણે બાંધે શક્તિશાળી પણ હતો. તે પોતાની તાકાત થી તે મદમસ્ત હાથી ને પણ ભગાડી શકતો પરંતુ દુનિયા મા મહમદ બેગડો એકલો ઝેર નું સેવન કરનારો એકલો રાજા ન હતો. સમગ્ર વિશ્વ મા એવા ઘણા રાજા-મહારાજા હતા. રોજ ઝેર ના સેવન થી શરીર ને ઝેરીલું બનાવવા ની આ પ્રક્રિયા ને મિથ્રિડાયટિઝમ કહેવાય છે.
આ પદ્ધતિ થી શરીર મા ધીમે-ધીમે ઝેર નાખી ને રોગપ્રતિકારક શક્તિ ને વધારવામા આવે છે. મિથ્રિડાયટિઝમ નો ઈતિહાસ પણ તેના નામ ની જેમ જ રસપ્રદ છે. પોંટસ તેમજ આર્મેનિયા ના રાજા Mithridates VI ના ડર થી આ શબ્દ આવ્યો હતો. આ રાજા ના પિતા ને ઝેર આપીને મારવામા આવ્યા હતા. જે બાદ રાજા એટલો ગભરાઈ ગયો હતો કે તેણે પોતાને પણ ઝેર થી કોઈક મારી નાખશે એમ સમજી ને તે નિયમિત ઝેર પીવા લાગ્યો હતો કે જેથી તેનુ મૃત્યુ ઝેર ના લીધે ન થાય.
આ શાસકનું નામ મહમુદ બેગડા હતું અને તેઓ ગુજરાતના છઠ્ઠા સુલતાન હતા. માત્ર 13 વર્ષની વયે રાજગાદી સંભાળનાર આ શાસકે 1459 ઈસ્વી થી 1511 ઈસ્વી સુધી 52 વર્ષ સફળતાપૂર્વક ગુજરાત પર શાસન કર્યું હતું અને આજે પણ તેને પોતાના વર્ષના સૌથી પ્રતાપી શાસક તરીકે યાદ કરવામાં આવે છે.સુલ્તાન અબુલ ફત્હ નસિરુદ્દીન મહેમુદશાહ ૧ (શાસનકાળ: ૨૫ મે ૧૪૫૮- ૨૩ નવેમ્બર ૧૫૧૧) એ મહમદ બેગડા ના નામથી પ્રસિદ્ધ ગુજરાતના મુઝફ્ફર વંશના રાજ્યકર્તા સુલ્તાન હતા.
તેમણે જુનાગઢ અને પાવાગઢ એમ બે ગઢ જીત્યા હતાં તેથી બે ગઢ જીતનાર, બેગડા (બે ગઢા) નામ પડ્યું હતું. તેઓ ખૂબ ધાર્મિક હોઇ જાણીતા હતા. તેમના વિજયોથી, તેમણે માલવામાં તેના વિજય દ્વારા ગુજરાત સલ્તનતનો મહત્તમ વિસ્તાર કર્યો અને ૪૩ વર્ષ સુધી શાસન કર્યું.મહમદ બેગડા એ પોતાને ઇલ્કાબો જેવા કે સુલ્તાન અલ્-બાર્ અને સુલ્તાન અલ્-બાહર્ અર્થાત “પૃથ્વીના સુલ્તાન, સમુદ્રના સુલ્તાન” થી નવાજ્યાં. તેમણે ચાંપાનેરને રાજધાની બનાવી હતી. તેમણે સરખેજ, રસુલાબાદ (સાજીદે મજીલ), વટવા, અમદાવાદ, ચાંપાનેર અને ધોળકામાં મસ્જિદ, રોજા વગેરે બનાવ્યાં.આ બધી તો એની પ્રાથમિક માહિતી થઈ આજે અમે તમને વાત કરવાની છી એના રોજના ખોરાક વિશે. મહમદ બેગડાને રોજનું 35 કિલો જમવાનું જોતું હતું.
મહમૂદ બેગડાનું અસલ નામ મહમુદ શાહ પ્રથમ અતું. અને તેઓએ જયારે ગિરનાર, જૂનાગઢ અને ચંપાનેરનો પ્રદેશ જીત્યો ત્યારે તેઓને ” બેગડા ” ની ઉપાધિ મળી હતી. કહેવાય છે કે ગિરનારના કિલ્લા પર બેગડાની સત્તા મળવાની સાથે ત્યાંના રાજાએ પણ ઇસ્લામ ધર્મ અંગીકાર કરી લીધો હતો અને ત્યારબાદ તેની સેનાએ મહમુદ બેગડાની સેનામાં ભળી ગઈ હતી.મહમુદ બેગડાના આકર્ષક વ્યક્તિત્વની ચર્ચાઓ આજે પણ થાય છે. તેમના વ્યક્તિત્વ અને દેખાવ વિષે કહેવાય છે કે તેઓની દાઢી એટલી લાંબી હતી કે કમર સુધી પહોંચતી હતી. એ સિવાય તેમની મૂછો પણ ઘણી લાંબી હતી અને મૂછોને તેઓ પોતાના માથા પર બાંધી લેતા હતા.
મહમુદ બેગડા વિષે સૌથી પ્રચલિત વાતો પૈકી એક વાત એ પણ છે કે તેઓ એક દિવસમાં ઓછામાં ઓછું 35 કિલો જેટલું ખાવાનું ખાતા હતા. કહેવાય છે કે તેઓના સવારના નાશ્તામાં એક વાટકો મધ, એક વાટકો માખણ અને 100 થી 150 કેળા ખાતા હતા. એટલું જ નહિ પરંતુ રાત્રીના સમયે પણ તેઓની પથારીમાં તકીયાની બન્ને બાજુ ખાવાનું રાખવામાં આવતું જેથી જો રાત્રે તેમને ભૂખ લાગે તો ખાઈ શકે.તમને કોઈ જમ્યા બાદ પાછું જમવાનું પૂછે તો તમારી ના જ હસે પણ મહમદ બેગડા બધા થી અલગ હતા જમ્યા બાદ ડિસર્ટમાં 4.6 કિલો મીઠા ભાત ખાતા હતા.
આ ઉપરાંત રાતના ટાઈમે અચાનક ભૂખ લાગે તે માટે મહમદ બેગડા પોતાના તકીયા નીચે સમોસા રાખીને સૂતા હતા. તે ભુખ ને જરા પણ જીરવી શકતા ન હતા. આખા દિવસનું ભોજન ને તમે એકઠું કરો તો આખા દિવસનું 35 કિલો જેવુ ભોજન થતું હતું.એ સિવાય એમ પણ કહેવાય છે કે સુલતાન બેગડાને બાળપણથી જ ઝેરનું સેવન કરાવવમાં આવ્યું હતું અને ત્યારબાદ તેઓ દરરોજ ભોજનની સાથે સાથે થોડું ઝેર પણ લેતા હતા. કહેવાય છે કે સુલતાનના શરીરમાં એટલું ઝેર એકઠું થઇ ગયું હતું કે તેને શરીર પર કોઈ માખી બેસતી તો એ પણ મરી જતી.
આ સિવાય આગળ ઇતિહાસની વાત કરીએ તો.સુલતાન મહમદ બેગડાએ ઈ.સ. 1468 મા જુનાગઢ પર ચડાઈ કરતાં રા’માંડલીકે તેનો એક વિર પુરુષની જેમ મુકાબલો કરતાં જુનાગઢ નો કિલ્લો કબજે કરવાનુ કામ મહમદ બેગડા માટે ખુબજ કઠીન થય ગયું હત.આથી કંટાળેલા કટ્ટરપંથી બાદશાહે સોરઠની પ્રજા પર અમાનુષી કેર કરવાનુ ચાલુ કરતા ખેતરો ઉભા પાક સાથે ગામોના ગામ સળગાવવા, લોકોના પશુધન તેમજ ઘરબાર લુટવા, મંદીરો તોડી લોકોને બે રહમ કતલ કરવી.
તથા જુવાન તથા કુંવારી કન્યાઓને ઉઠાવી લશ્કરના હવાલે કરવા જેવા અધમ અત્યારથી પ્રજા ત્રાહીમામ પોકારી ઊઠી હતી.આવા જોર જુલમ વચ્ચે મુસ્લિમો એ અર્થીલા (હાલનું લાઠી) કબજે કરી રૈયત પર અત્યાચાર આચરતા જે આડે આવ્યા તેને મોતને ઘાટ ઉતારી ગામ લુટ્યુ હતુ. અખાત્રીજના દિવસે અર્થીલા પર ચડી આવેલા મુસ્લિમોને આ સમયે અખાત્રીજના દિવસે આહિરો ના સમૂહ લગ્ન નો દિવસ હોય.
ગામમાં રહેતા કેટલાક આહિરો લગ્નમાં મા બહારગામ ગયા હોય મુસ્લિમ સેનાની જલાલુદીને લાઠી લુટી ગામની કુંવારી કન્યાઓને દરબારગઢમાં નિર્વિધ્ને પકડી પકડીને ભેગી કરતાં છોકરીઓ એ યવનોના અત્યાચાર સામે રોકકળ કરી મુકી હતી.લાટી પર મુસ્લિમોના હુમલા થી અજાણ આહિર યુવાન દેદો પોતાના ઘોડા પર ચડી કેડે લટકતી તલવાર સાથે લાઠી ગામની ઉજ્જડ બજારમાંથી નવાઈ સાથે આગળ વધતાં તેના કાને દરબારગઢ માંથી સ્ત્રીઓ ના રુદન નો અવાજ સંભળાયોઅવાજ સાંભળતાં દેદા આહીરે દરબારગઢની બારીમાંથી ડોકીંયા કરતી યુવાન કન્યાઓ પાસેથી તેમની આપવીતી સાંભળી.
એકલવીર દેદા આહીરે પોતાના ખંભાના જોરે દરબારદરબનો તોતીંગ દરવાજો તોડી મુસ્લિમ સૈનિકો ને મારી ભગાડી લાઠી ની બેન દિકરયું ને છોડાવી હતીદેદા આહીરની વીરતા ભરી વાતની જુનાગઢનો ઘેરી ઘાલીને પડેલા મહમદ બેગડાને જાણ થતાં તે કાળજાળ થતો જુનાગઢના રાજા રા’ સાથે સમાધાન કરી લાઠી પર ચડી આવ્યો હતો લાઠીને ઘેરો ઘાલી પડેલા યવનસેના સામે દેદા આહીરે ગઢ માંથી બહાર નીકળી કેસરીયા કરતા બંને હાથથી તલવાર વીંઝતો દેદો આહીર અનેક મુસ્લિમોના માથા વાઢતા આગળ વધી રહ્યો હતો ત્યારે દુશ્મનો એ તેનુ માથુ વાઢતા તેનુ ધડ લડી રહ્યુ હતું.